ઉંમર વધે છે એમ અક્કલ વધે છે. અક્કલ વધે છે એટલે લાંબી વાતને ટૂંકમાં કહેતાં આવડે છે. એ આવડે છે એટલે કહેવતોમાં રસ જાગે છે. વિશ્વભરમાં દરેક પ્રજા પાસે કહેવત છે. કહેવત બૃદ્ધિ કરતાં ડહાપણનો વિષય છે. મોટામાં મોટી વાતને નાનામાં નાની બંદિશમાં કહેવી હોય તો કહેવત અનિવાર્ય છે. કહેવત જીવનની તદ્દન નિકટ હોય છે. એનો લેખક હોતો નથી. એ જનતાની જબાન પર ઊગે છે અને માણસના દિમાગમાં સ્થિર થાય છે. ઘણી વાર થાય છે કે એક કહેવતથી વધારે સારી વાત કહેવાનો બીજો કોઈ માર્ગ છે?
તેવો જ કિસ્સો તમારા ધ્યાન પર મુકું છું...
માજીની જુવાની
એક માજી વૃદ્ધાવસ્થાને કારણે કમરમાંથી વાંકા વળી ગયા હતા.
લાકડીના ટેકે ચાલતા જઈ રહ્યા હતા.
ચાર જુવાનીયાઓ ત્યાંથી પસાર થયા.
એમણે માજીની મશ્કરી કરતાં કહ્યું, “કેમ માજી વાંકા વળીને શું શોધો છો?”
માજી હોંશિયાર હતા.
માજી હોંશિયાર હતા.
એમણે કહ્યું, “મારા દીકરાઓ, હું મારી જુવાની શોધું છું.”