આજે ૨૬ જાન્યુઆરી
૧૫૫૬ : હુમાયુનું નિધનમોગલ શહેનશાહ હુમાયુનું નિધન.
૧૮૫૭ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત થઈ.
૧૮૬૩ : કવિ નર્મદનુ નિધન
૧૯૫૦ : બંધારણ અમલમાં મુકાયું. પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ.
૧૯૭૨ : અમર જવાન જયોતિ.યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં દિલ્હીના ઇન્ડિયા ગેટ પર અમર જવાન જયોતિની સ્થાપના કરાઈ.
૨૦૦૧ : ગુજરાતમાં ભૂકંપ.ગુજરાતમાં આવેલા ૭.૭ની તીવ્રતાવાળા ભૂકંપમાં હજારોનાં મોત
૧૮૫૭ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત થઈ.
૧૮૬૩ : કવિ નર્મદનુ નિધન
૧૯૫૦ : બંધારણ અમલમાં મુકાયું. પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ.
૧૯૭૨ : અમર જવાન જયોતિ.યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં દિલ્હીના ઇન્ડિયા ગેટ પર અમર જવાન જયોતિની સ્થાપના કરાઈ.
૨૦૦૧ : ગુજરાતમાં ભૂકંપ.ગુજરાતમાં આવેલા ૭.૭ની તીવ્રતાવાળા ભૂકંપમાં હજારોનાં મોત
(ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જ નાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આબેડકર નાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજી માં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.)




