જિંદગી જેના વડે બનેલી છે તે છે સમય. છતાં
આપણે સૌથી વધારે બેદરકારીપૂર્વક જો કશું વેડફતા હોઈએ તો તે સમય છે. સમય બરબાદ કરવો
એટલે જીવન બરબાદ કરવું. આપણામાંના ઘણા રોજ આ રીતે ‘આત્મહત્યા’ કરે છે. વર્તમાન
ક્ષણ પ્રત્યેની જાગૃતિથી આપણી આંતરિક શક્તિ જાગે છે. પ્રત્યેક પળે પોતાની અંદર અને
બહાર શું ચાલી રહ્યું છે તેના પ્રત્યે એકાગ્ર થવાથી એક જાતના આનંદ અને હળવાશનો
અનુભવ થાય છે. આ જ છે વર્તમાન ક્ષણમાં જીવવાની કળા. જો સાચે જ આંતરિક શક્તિ ખીલવવી
હોય તો વર્તમાનમાં જીવવાની કળા શીખવી જ પડશે.
આ કળા
દરેકને આવડી શકે, છતાં આ
એક દુર્લભ કળા છે કારણ કે જે ક્ષણ સામે આવીને ઊભેલી છે તે ક્ષણનું માહાત્મ્ય
સમજવું સહેલું નથી. સમય સૌથી વધારે મૂલ્યવાન છે, પણ તેના મૂલ્યની સૌથી વધારે ઉપેક્ષા થાય છે. જે વ્યક્તિ
એનું મૂલ્ય સમજીને એને જીવી જાય છે તે જીતી જાય છે, સમૃદ્ધ બની જાય છે, ને જે
તેના મૂલ્યને સમજતો નથી તે જિંદગીનું દેવાળું ફૂંકે છે, વર્તમાન ક્ષણને જાગૃતિથી જીવી શકાય છે કે પછી
બેદરકારીથી વેડફી શકાય છે.Thursday, July 25, 2013
Thursday, July 18, 2013
નકામી વસ્તુ કોઇ એક બાળકના નિર્દોષ ચહેરા પરનું સ્મિત બની શકે છે
તમારા ઘરમાં એક એવી વસ્તુ હોઈ શકે છે, જે કદાચ
તમારા માટે નકામી છે પણ તે કોઇ એક બાળકના નિર્દોષ ચહેરા પરનું સ્મિત બની શકે છે
અને તેને શાળાએ જઇ ભણવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. એ વસ્તુ છે, સાઇકલ.
મુંબઇ સ્થિત બિઝનેસમેન હેમંત છાબરા, પત્ની
સંગીતા છાબરા અને પત્રકાર મિત્ર સિમોના ટેરન સાથે મળીને એક પ્રોજેક્ટ પર કામ કરી
રહ્યાં છે. તેનું નામ છે, ‘ધ બાઇસિકલ પ્રોજેક્ટ’.
આ પ્રોજેક્ટ હેઠળ તમે તમારા ઘરમાં પડેલી જૂની સાઇકલ રિપેર કરાવીને કે પછી
રિપેર કરાવ્યા વગર દાનમાં આપી શકો છો કે જેથી શિક્ષણથી વંચિત એક ગરીબ બાળક પોતાના
ઘરેથી પાંચ-સાત કિલોમીટર દૂર આવેલી શાળાએ ભણવા માટે જઇ શકે.
ઈકો-ફ્રેન્ડલી બેગ બનાવવાનો વ્યવસાય કરતા હેમંત છાબરા છેલ્લાં ૨૦ વર્ષથી
થાણાથી ત્રણ કલાકના અંતરે આવેલા વિક્રમગઢના જડપોલી ગામે પોતાના ઓર્ગેનિક ફાર્મ
હાઉસમાં રહે છે. તેઓ કહે છે, ‘બાળકોને
જયારે પૂછ્યું કે તમે કેમ ભણવા જતાં નથી? તો ખબર
પડી કે શાળા ગામથી ઘણી દૂર છે. ટાઢ, તડકો, વરસાદમાં
ચાલીને જવામાં ઘણી મુશ્કેલી છે, બસ માટે
કલાકો સુધી ઊભા રહેવું પડે છે અને રિક્ષામાં જવા માટેના પૈસા નથી. આ સાંભળીને મને
મારા પિતાજી યાદ આવી ગયા. તેઓ પણ પાંચ કિલોમીટર ચાલીને શાળાએ જતા. મને થયું આટલાં
વર્ષે પણ પરિસ્થિતિ બદલાઇ નથી. મને તેમના માટે કંઇક કરવાનો વિચાર આવ્યો. પત્ની
સંગીતા અને મિત્ર સિમોનાએ મને પ્રોત્સાહિત કર્યો. અમે શહેરમાં સડતી, ધૂળ ખાતી
અને ભંગાર બની ગયેલી સાઇકલોને રિપેર કરીને બાળકોને આપવાનો વિચાર કર્યોઅને આમ અમારા
કામની શરૂઆત થઇ.’
માઉથ પબ્લિસિટી અને ઇ-મેઇલ દ્વારા લોકો સુધી અમારી વાત ફેલાવા માંડી. ‘અમને ખૂબ
સારો પ્રતિસાદ મળી રહ્યો છે,’ હેમંત
છાબરા કહે છે, ‘શરૂઆતમાં અમે એક-એક સાઇકલ લેવા જતાં, પણ
પાછળથી એકસાથે આઠથી દસ સાઇકલ ભેગી થાય પછી જ જવાનું રાખ્યું.’ ૨૬
જાન્યુઆરી, ૨૦૦૮થી સાઇકલનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ થયું.
પહેલે જ દિવસે ૬૮ સાઇકલો ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવી. અત્યાર સુધીમાં એમણે ૭૦૦થી
વધુ સાઇકલ એકત્ર કરી છે.
સંગીતા છાબરા જણાવે છે, ‘બાળક શાળાથી કેટલે દૂર રહે છે, શાળામાં
તેની હાજરી કેવી છે, ભણવામાં તે કેવો સિન્સિયર છે વગેરે માપદંડને
આધારે સાઇકલ અપાય છે. સાઇકલ મેળવનારાં બાળકોનો અભ્યાસ સુધર્યોછે. કેટલાંક બાળકો
બીજા બાળકને ડબલ સીટમાં બેસાડી શાળાએ લઇ જાય છે!
Tuesday, July 16, 2013
‘બેન ! મારા દીકરાનાં એડમિશન માટે આવ્યો છું. મળી તો જશે ને ?’
‘બેન ! મારા દીકરાનાં એડમિશન માટે આવ્યો
છું. મળી તો જશે ને ?’
‘ભાઈ ! હજી તમે અંદર તો આવો, બેસો, શાંતિથી વાતચીત કરો અને પછી તપાસ કરો ને પછી પ્રશ્ન પૂછો. આ કંઈ કોઈ ખરીદીની ઓછી જ વાત છે કે ભાવ પૂછ્યો ને વસ્તુ ખરીદી લીધી !’
‘ના બેન, એવું તો નહીં…. પણ અત્યારે એડમિશન મળવા બહુ જ મુશ્કેલ છે એટલે મને બહુ જ ચિંતા થાય છે.’
‘ભાઈ ! હજી તમે અંદર તો આવો, બેસો, શાંતિથી વાતચીત કરો અને પછી તપાસ કરો ને પછી પ્રશ્ન પૂછો. આ કંઈ કોઈ ખરીદીની ઓછી જ વાત છે કે ભાવ પૂછ્યો ને વસ્તુ ખરીદી લીધી !’
‘ના બેન, એવું તો નહીં…. પણ અત્યારે એડમિશન મળવા બહુ જ મુશ્કેલ છે એટલે મને બહુ જ ચિંતા થાય છે.’
અને એ ભાઈ એમના બાબાને લઈને મારી ઑફિસમાં
આવ્યા, મારી સામેની ખુરશીમાં બેઠા, બાબાને પાસે ઊભો
રાખ્યો. પણ બાબોય ખાસ્સો ધમાલિયો. હજી એ ભાઈ ગોઠવાય છે એ પહેલાં તો એણે ટેબલ પરથી
પેન, કાગળો, પેપરવેઈટ, બધું જ આમતેમ
કરવા માંડ્યું. હું પણ મૂંઝાઈ, એ ભાઈ જે પ્રશ્નો પૂછે તેનાં જવાબો
આપવામાં ધ્યાન આપું કે એમનો દીકરો આ બધું અસ્તવ્યસ્ત કરી રહ્યો છે એને વારું ! આ
બધી જ મથામણ દરમ્યાન એની મમ્મી તો સામી ખુરશીમાં નિશ્ચિંતે બેઠી હતી. માત્ર વાત સાંભળી
રહી હતી. એના પોતાના બાળકની આ ધમાલ પ્રત્યે તેનું જરા પણ ધ્યાન કે અકળામણ હોય એવું
લાગ્યું નહીં અને એટલે મારે ખાસ કહેવું પડ્યું :
‘બેન, બાબાને તમારી પાસે લઈ લો. એ અહીં ધમાલ કરે છે.’ અને એ જાણે તંદ્રામાંથી જાગતાં હોય તેમ તેમણે બાબાનું બાવડું પકડીને તેમની તરફ ખેંચ્યો, કાન આમળ્યો. આંખ કાઢી અને એટલે બાબો તો જોરશોરથી ડુસકાં ભરતો ઘાંટા પાડીને રડવા માંડ્યો. મારી ઑફિસ તો ગાજી ઊઠી. હુંય મૂંઝાઈ, હવે કરવું શું ? ને મેં પ્રશ્નાર્થભરી દષ્ટિએ પેલા ભાઈ સામે જોયું…. એટલે એ ભાઈને એમના દીકરાનાં તોફાનની ગંભીરતાનો ખ્યાલ આવ્યો ને એમણે શરૂ કર્યું.
‘બેન, બાબાને તમારી પાસે લઈ લો. એ અહીં ધમાલ કરે છે.’ અને એ જાણે તંદ્રામાંથી જાગતાં હોય તેમ તેમણે બાબાનું બાવડું પકડીને તેમની તરફ ખેંચ્યો, કાન આમળ્યો. આંખ કાઢી અને એટલે બાબો તો જોરશોરથી ડુસકાં ભરતો ઘાંટા પાડીને રડવા માંડ્યો. મારી ઑફિસ તો ગાજી ઊઠી. હુંય મૂંઝાઈ, હવે કરવું શું ? ને મેં પ્રશ્નાર્થભરી દષ્ટિએ પેલા ભાઈ સામે જોયું…. એટલે એ ભાઈને એમના દીકરાનાં તોફાનની ગંભીરતાનો ખ્યાલ આવ્યો ને એમણે શરૂ કર્યું.
‘સ્પંદન, ચાલ ડાહ્યો થઈને
બેસી જા તો, આમ આવે છે કે નહીં ! નહીં તો બેન હમણાં તને અંગૂઠા પકડાવશે.’ સ્પંદન તો એની
મસ્તીમાં મહાલી રહ્યો હતો. એને વળી અંગૂઠા પકડવા એટલે શું એ ક્યાંથી ખબર હોય !
એનું તોફાન તો ચાલુ જ હતું. મારે એના મમ્મીને કહેવું પડ્યું, ‘બેન ! એને તમારી
પાસે તમારા ખોળામાં લઈ લો.’ તો એની મમ્મી વળી કહે : ‘આમ આવે છે કે
નહીં ! જો હમણાં પોલીસ આવશે તો પકડી જશે.’ ને મને એક ઘેરો
આઘાત લાગ્યો. આ તે કેવા માબાપ ! એના પપ્પા આટલા નાના બાળકને અંગૂઠા પકડાવશે એમ કહે
છે. મા એને પોલીસ પાસે પકડાવાની વાત કરે છે. આટલા નાના અઢી વર્ષના બાળકને આ માબાપ
શું કરી રહ્યાં છે !
બાળકને લઈને સામાન્ય રીતે મારી ઑફિસમાં માબાપ
આવે એટલે નાનકડું બાળક તો નિજાનંદની મસ્તીમાં જ મહાલતું હોય એટલે એ જાતજાતની
વસ્તુઓ ફેંદે, ખેંચે, ધમાધમ કરે એ તો સાહજિક જ હોય, પણ મમ્મી કે પપ્પા
સાથે હોય એટલે એમણે એ ધ્યાન રાખવું પડે કે એ બાલસહજ પ્રવૃત્તિથી બીજાને મુશ્કેલી
તો ઊભી થતી નથી ને ! એ માટે એની પ્રવૃત્તિ પાછળ પૂરતું ધ્યાન આપવું પડે. તેને
શાંતિથી સમજાવવું પડે, વહાલથી વારવું પડે, પણ આજે તો મમ્મી
કે પપ્પામાં એ ધીરજ, એ ક્ષમતા જ ક્યાં છે ! છોકરું છે, તોફાન તો કરે જ
ને ! પણ એને વહાલથી સમજાવવું પડે કે એ વસ્તુને કેમ ન અડકાય, અડકીએ તો તૂટી
જાય, તૂટી ન જાય તે માટે કેવી રીતે તે જોવાય. બાળકને પાસે રહીને
તે બતાવવી પડે. ઈશ્વરે બાળકમાં જિજ્ઞાસાવૃત્તિ મૂકી છે. સવાર પડે ને માણસ આંખ ખોલે
ત્યારથી જ તેની નજર સમક્ષ જે કંઈ આવે તે બધી જ વસ્તુઓ માટે તેના મગજમાં પ્રશ્નોની
સતત હારમાળા ચાલતી જ હશે ! એના એ પ્રશ્નોનાં જવાબો આપણે ન આપીએ, ન આપી શકીએ તો એ
વસ્તુઓને સ્વયંપણે હાથમાં લઈને એનો અભ્યાસ કરવા પ્રેરાશે, એ સાહજિક છે
જેને આપણે તોફાન અને ઉધમાત કહીએ છીએ અને એમાંથી છૂટવા એને બીક બતાવીએ છીએ, ક્યારેક બાવાની, ક્યારેક પોલીસની
તો ક્યારેક અંગૂઠા પકડાવવાની; અને જ્યારે આવા માબાપને હું જોઉં છું
ત્યારે મને થાય છે, સ્કૂલ બાળકો માટે ચલાવીએ છીએ પણ શું માબાપ માટે પણ સ્કૂલ
ખોલવાની હવે જરૂર ઊભી નથી થઈ ! બાળકને માત્ર જન્મ આપવાથી જ માબાપ ઓછાં બની જવાય છે
! એ માટે તો બાળક સાથે પળેપળ જીવવું પડે છે. એની રગેરગમાં વણાઈ જવું પડે છે.
અને એમાંય હજી બાળક સ્કૂલમાં પ્રવેશે એ
પહેલાં જ એને ‘ટીચર લડશે’, ‘ટીચર મારશે’, ‘ટીચર અંગૂઠા
પકડાવશે’ એવું અઢી વર્ષના બાળકના મગજમાં ઠસાવવામાં આવે તો એ બાળકને
સ્કૂલમાં આવવાનું મન જ ક્યાંથી થાય ! સ્કૂલ માટેનો અણગમો પહેલેથી જ બાળકના મગજમાં
ઠસાવી દીધો હોય એટલે એ બાળકને સ્કૂલમાં આવવું તો ન જ ગમે, પણ ભણવું ય ન
ગમે. આ તો પેલું આપણે દીકરીના ઉછેરમાં કરીએ છીએ તેવું જ કરીએ છીએ ને ! દીકરી નાની
હોય ત્યારથી તેને ટોકીએ ‘સાસરે જશે ત્યારે આમ થશે, સાસુ વઢશે.’ પહેલેથી જ એના
મગજમાં સાસરા પ્રત્યે એક નિષેધાત્મક મનોવલણ ઊભું કરી દઈએ એ મનોવલણ મોટી ઉંમરે
ક્યારેક કેટલી બધી મુશ્કેલીઓ ઊભી કરે છે ! અને એટલે મારે તો જ્યારે બાળકને લઈને
આવા વાલી આવે છે ત્યારે સૌપ્રથમ તો એ વાલીને શિક્ષણ આપવાનો પ્રશ્ન ઊભો થાય છે. આવા
વાલીને એ પણ ખબર નહીં હોય કે, આજે તો બાળકને અંગૂઠા પકડાવવાની તો
ક્યાં વાત કરવી ! અરે ! ગમે તેટલું તોફાન કરે તો શિક્ષકે હાથ પણ નહીં અડકાડવાનો
એવો કાયદો થઈ ગયો છે. આજે બાળકોના વિકાસ માટે કેટલી બધી જાગૃતિ આવી ગઈ છે ! ભાર
વિનાનું ભણતર, બાળકોનો વિકાસ થાય, તે માટે રોજેરોજ
નીત નવા પ્રયોગો થયાં જ કરે છે. મેડમ મોન્ટેસરીએ તો બાલશિક્ષણની આખી એક નવી તરાહ જ
શરૂ કરી. બાળકને ખીલવા દો, પાંગરવા દો, એના હીરને ઓળખો, એને રુંધી ન
નાખો, રોકટોકથી એને મૂરઝાવી ન દો, એમાંય બીક તો
બાળક ઉપર બહુ જ વિપરીત અસર કરે છે. એને અસલામતી લાગે છે.
આજના માબાપોની ફરિયાદ હોય છે ‘આજનાં છોકરાંઓને
ભણવું જ નથી ગમતું….’ ક્યાંથી ગમે ? નાનું હોય
ત્યારથી જ સ્કૂલ માટે આમ નિષેધાત્મક મનોવલણ ઊભું કર્યું હોય. ટીચર્સ તો મારે જ, શિક્ષા કરે… એવું મનમાં
ઠસાવી દીધું હોય એ શિક્ષકો ભણાવે એમાંય છોકરાને ક્યાંથી રસ પડે ! બાળકો તો
શિક્ષકની આંખમાંથી નીતરતો પ્રેમ અને એમની પાસેથી જ્ઞાન ઝંખતા હોય છે. આજના કેટલા
શિક્ષકો બાળકની આ અપેક્ષા પૂરી કરી શકે છે !
ઘેર મમ્મી ભણાવવા બેસે તો પણ કેટલી મમ્મીઓ
રસથી, વહાલથી ભણાવતી તમે જોઈ છે ! આજની શિક્ષિત કહેવાતી મમ્મીઓને
દરેકને તેના બાળકોને ટોપર બનાવવું છે અને તેનું ટેન્શન એના માથા પર એવું તો સવાર
થઈ ગયું છે કે બાળકને એ ભણાવે છે ખરી પણ રિલેક્સેશનથી ભણાવી શકતી જ નથી. બાળકને
સહેજ ન આવડે એટલે એટલી અકળાઈ ઊઠે છે કે બાળક એનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. અરે ! જે
કંઈ આવડતું હોય એ પણ એ ભૂલી જાય છે. આજે બાળકને ભણવામાં રસ પડે ક્યાંથી ? આપણે દોષ કાઢીએ
છીએ કે, ‘છોકરાઓને ભણવું જ નથી ગમતું’ બાળપણ છે એટલે
નિજાનંદની મસ્તી માણવાનું તો એને ગમે જ ને ! પણ ભણવામાં રસ પડે એવું વાતાવરણ આપણે
માબાપ કે સ્કૂલમાં આપી શકીએ તો બાળકને ભણવાનું કેમ ન ગમે ! ઈશ્વરે એને
જિજ્ઞાસાવૃત્તિ આપી છે. એના પોષણ માટે તો એ સતત મથામણ કરે જ છે, સતત પ્રશ્નો
પૂછ્યા જ કરે છે. પણ એની અનુકૂળતા જ ન મળે તો એમાં એનો શો દોષ ! એને રીતસર રોજ
ભણાવવા ન બેસો તો ચાલશે, પણ તમારો છેડો પકડી તમને દિવસ દરમ્યાન જે પ્રશ્નો પૂછે એના
વ્હાલથી, સમજથી, સૂઝથી જવાબો આપશો તોય તેને ઘણું જ્ઞાન
પ્રાપ્ત થશે. પ્રશ્ન માત્ર આપણા બાળકમાં સતત રસ લેતા રહેવાનો છે. તેને પ્રેરણા અને
પ્રોત્સાહન આપવાનો છે. માત્ર બીક બતાવી ધાર્યું કરાવવાથી બાળકનું ભણતર કે ઘડતર
કશું જ નહીં કરી શકાય. એ રીતે તો એ મૂરઝાઈ જશે, એને ખીલવા દો.
– ડૉ. ઊર્મિલા શાહ