Tuesday, December 14, 2010

આ બધા સંતો, સંત શીદને કહેવાયા ?

આ બધા સંતો, સંત શીદને કહેવાયા ? કારણ કે જ્યારે મોઢું હસતું રાખવું મુશ્કેલ હતું ત્યારે એમણે હસતું મુખ રાખેલું, ધીરજ ધરવી મુશ્કેલ હતી ત્યારે એમણે ધૈર્ય રાખેલું, જ્યારે વિસામો ખાવો હતો ત્યારે એમણે આગળ ધપ્યે રાખ્યું, બોલવું હતું ત્યારે મૌન સેવ્યું, અને કડવા થવું હતું ત્યારે મીઠાશ જાળવી. બસ, એટલું જ. આ સાવ સરળ હતું અને હંમેશ સરળ રહેશે.